Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જામનગર ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ

જામનગર : ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા ઙ્ગફાઈટ અગેઇનસ્ટ કોવીડ-૧૯ અભિયાન કાર્યરત છે જે અંતર્ગત 'બ્લડ ડોનેશન કેમ્પ'માં જી. જી. હોસ્પિટલ ના બ્લડ બેંક વિભાગ ના તરફથી ડો.દિવ્યેશ, સિધ્ધરાજ રાણા, નિધીબેન, દિવ્યરાજ સિહ, ગજેન્દ્રસિંહ વગેરે ઉપસ્થિત રહીને સેવા બજાવેલી. આ કેમ્પમાં ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ ના સંચાલકો અને ટ્રસ્ટી હિતેશ પંડ્યા અને વિમલ અઘેરા તેમજ પ્રોજેકટ ઙ્ગચેરમેન કેતન રામાણીએ પોતાનું બ્લડ ડોનેટ કરી ને આ કેમ્પ ને ખુલ્લો મુકેલ હતો. આ કેમ્પ ને સફળ બનાવવા માટે ઝાહીદ રાઠોડ, મનોજ કચ્છી, સુધીર પંડ્યા, વિમલ અઘેરા, દીપક પરસારા, સીમા અઘેરા, દુર્ગા મુલાણી, સંગ્પાલ પાટીલ, અનિકેત માને, બીપીનકુમાર, પાર્થ વાડોલીયા, હિતેશ છાયા વગેરે એ જહેમત લીધેલી હતી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે નીલેશ ટોલિયા, કાજલ પંડ્યા, હિતેશ પંડ્યા વગેરે તેમજ જી. જી. હોસ્પિટલના એસોસિયેટ પ્રોફેસર ડો.શ્વેતા ઉપાધ્યાયએ માર્ગદર્શન પાઠવ્યું હતું. ભાગ લેનાર ૨૫ રકતદાતા ઓને સ્થળ ઉપર જ સર્ટીફીકેટ આપવામાં આવેલ હતા. કોફી અને નાસ્તાની વ્યવસ્થા પ્રોજેકટ ઙ્ગચેરમેન કેતન રામાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(12:50 pm IST)