Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ભવનાથમાં બે સાધુઓને ફાડી ખાનાર શંકાસ્પદ દીપડો માનવભક્ષી : ડીએસએફ દ્વારા જાહેરાત

પરીક્ષણ દરમિયાન શંકાસ્પદ દીપડા બે સાધુઓનો શિકારી હોવાનું ખૂલ્યું

જૂનાગઢના ભવનાથમાં બે  સાધુઓને ફાડી ખાનાર શંકાસ્પદ દીપડો માનવભક્ષી હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ ડીએસએફે ટ્વીટ કરી જાહેરાત કરી છે. છેલ્લા એક અઠવાડિયામાં જ દીપડાએ ભવનાથ તળેટીમાં બે સાધુઓને  ફાડી ખાધા હતા.વનવિભાગે બે દિવસ પહેલા આ આદમખોર દીપડાને ઝડપી પાડ્યો હતો.જે બાદ પરીક્ષણ દરમ્યાન આ દીપડો જ માનવભક્ષી હોવાનું તેમજ મૃતક બંને સાધુઓનો શિકારી હોવાનું સામે આવ્યું છે.

(12:32 pm IST)