Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોનાના કહેર વચ્ચે લોકોની સેવા કરતા જન સેવકોનું કરાયેલ સન્માન

અમરેલીઃ બ્રહ્મસમાજના વિવિધ સંગઠનો દ્વારા

અમરેલી,તા.૨૮: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસ ના સંક્રમણ થી ચિંતિત હોય અને ભારત દેશ માં પણ લોકડાઉન હોય ત્યારે અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણી દ્વારા અમરેલી અને આસપાસ ના વિસ્તાર માં 'પડોશમાં કોઈ ભૂખ્યું ના સુવે' એવા સામાજિક સંકલ્પ થી 'ભૂખ્યા ને ભોજન સેવાયજ્ઞ'ઙ્ગ તારીખ ૨૪/૦૩/૨૦૨૦ થી અમરેલી માં ચાલી રહ્યો છે અને રોજ ના ૬૭૦૦૦ જેટલા જરૂરિતાત મંદ લોકો ની આંતરડી આ સેવાયજ્ઞ દ્વારા ઠારવામાં આવે છે ..ઉપરાંત જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખશ્રી ડો. ભરતભાઇ કાનાબાર અને સહકારી અગ્રણી શ્રી પી.પી.સોજીત્રા દ્વારા જરૂરિયાત મંદ લોકો ને રેશન કીટ વિતરણ કરવા નું ભગીરથ કાર્ય પણ કરી સમાજ ના છેવાડે ના માણસ પ્રત્યે સંવેદના વ્યકત કરી છે.

પરશુરામ જયંતિ ના પાવન અવસરે અમરેલી જિલ્લા ના બ્રહ્મ સમાજ ના વિવિધ સંગઠનો દ્વારા ભૂખ્યા ને ભોજન સેવાયજ્ઞ ના પ્રેરક માનનીય શ્રી પરેશભાઈ ધાનાણી ના રસોડા ની મુલાકાત લઈ વૈદિક મંત્રોચ્ચાર થી ભોજન પ્રસાદ પીરસી અને આ સેવાયજ્ઞના આયોજક શ્રી પરેશ ભાઇ ધાનાણી અને તેમની ટિમ નું શાલ ઓઢાડી અને પુષ્પ ગુચ્છ થી સોસીયલ ડિસ્ટન્સ જાળવી સન્માન કરવા માં આવેલ હતું.આ ઉપરાંત ડો.કાનાબાર અને પી.પી.સોજીત્રાનું પણ સન્માન કરવામાં આવેલ હતું.

આ સન્માન સમારંભ માં જિલ્લા બ્રહ્મ સમાજ ના મૂળશંકર ભાઈ તેરૈયા અને શ્રી એમ જી.જોશી સાહેબ દ્વારા ટેલિફોનિક સંદેશ અને જિલ્લા બ્રહ્મ સમાજના નરેશભાઈ અધ્યારૂ,દિલીપભાઈ મહેતા,ગીરીશભાઈ ભટ્ટ,અરવિંદભાઈ જાની, ચિરાગ ત્રિવેદી, અજય પંડયા,વિપુલ દવે,હીરેન ઠાકર,સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજય કક્ષાના અમરેલી પ્રમુખશ્રી સિદ્ઘાર્થ ઠાકર,ઔદીચ્યઙ્ગ ઝાલાવાડી બ્રહ્મ સમાજના પ્રમુખ તનસુખભાઈ ઠાકર,જાનીદાદા,એડવોકેટ સંદીપ પંડ્યા પરશુરામ યુવા ગ્રુપના ભાવિન ત્રિવેદી જનક પંડ્યા મહિલા પાંખના માધવીબેન જોશી,વર્ષાબેન જોશી,હંસા બેન જોશી તથા બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમઙ્ગઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના મંત્રી રમેશ પંડ્યાની યાદી જણાવે છે.

(11:47 am IST)