Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જામનગરમાં પ્રધાનમંત્રી-મુખ્યમંત્રી રીલીફ ફંડમાં દાન અર્પણ

જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘ લી. અને તેના સદસ્યો દ્વારા કોવીડ ૧૯ કોરોના વાયરસ સામે લડવા પ્રધાનમંત્રી રીલીફ ફંડ તથા મુખ્યમંત્રી રીલીફ ફંડમાં પ લાખ સાત હજાર એકસોનું અનુદાન આપવામાં આવેલ ર લાખ પ૦ હજારનો મુખ્યમંત્રી રીલીફ ફંડનો ચેક રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ને સંસ્થાના ઉપપ્રમુખ પી.એન.આર. વિજયન ના હસ્તે તથા ર લાખ સતાવન હજાર એકસોનો નો પ્રધાનમંત્રી રીલીફ ફંડનો ચેક સાંસદ પુનમબેન માડમ ને એસો.ના પ્રમુખ ધીરજલાલ કારીયાના હસ્તે અર્પણ કરવામાં આવેલ આ સમયે શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, સંસ્થાના ડાયરેકટરો જયરામભાઇ ગણાત્રા, જતીનભાઇ મહેતા, ભરતભાઇ અમલાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ વિશ્વાસ ઠકકર-જામનગર)

(11:47 am IST)