Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

વઢવાણમાં ઉકાળા આયુ.દવાનું વિતરણ

વઢવાણ : શહેરની વાલ્મિકીવાસમાં રહેતા સફાઇ કામદારો અને રહીશોને ઉકાળા વિતરણ અને દવાઓ અપાઇ હતી. મનહરસિંહ ઝાલા, અનિલભાઇ મકવાણા, મહેન્દ્રભાઇ પરમાર, દશરથસિંહ બસવાર વગેરે સફાઇ કામદારો કોરોનાથી બચવા જાગૃત રહેવા અપીલ કરી હતી. ત્યારે રણછોડભાઇ કટારીયા, બ્રિજરાજસિંહ રાણા, ભગીરથસિંહ રાણા, મહેન્દ્રભાઇ ડાભી વગેરે દરેક ઘર દીઠ ઉકાળા અને માસ્ક પહેરવા અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે વઢવાણના સફાઇકામદારોને પણ ઉકાળા અને માસ્ક ઘરે ઘરે આપવામાં આવ્યા હતા.

(11:46 am IST)