Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જુનાગઢ સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરે દેવોને ચંદન વાઘા ધરાવવાનો પ્રારંભ

પ જુન સુધી હરિભકતોની સેવા થાળ ભેટ સ્વીકારાશે

જુનાગઢ તા. ર૮ :.. જુનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર હાલ કોરોના વાઇરસને લોક ડાઉનની પરિસ્થિતિ દરમ્યાન સંપુર્ણ બંધ છે. અને માત્ર દેવોની પુજારી દ્વારા આરતી - પુજા કરવામાં આવે છે.

ત્યારે હાલમાં તા. ર૬-૪ થી તા. પ-૬ સુધી શ્રી રાધારમણ દેવ આદિક સર્વે દેવોને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે જે ભકતોએ દેવોને ચંદનના વાઘા ધરાવવાની ઇચ્છા હોય તેમણે રકમ મંદિરના બેંક એકાઉન્ટમાં ઓન લાઇન જમા કરાવી શકશે. તેમજ થાળ ભેટ કાર્યાલયમાં જમા કરાવી શકશે. તેમજ થાળ ભેટ કાર્યાલયમાં જમા કરાવી પાકી પહોંચ મેળવી લેવા મંદિરના મહંત મુખ્ય કોઠારી પ્રેમ સ્વરૂપદાસજીએ અખબારી યાદીમાં અપીલ કરી છે તેમજ વધુ માહિતી માટે ફોન નં. ૦ર૮પ ર૬પ૦૬૮૦ અથવા મો. ૯૮૭૯પ પ૧૬૮૦ ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.

(11:43 am IST)