Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

વાંકાનેરમાં આજથી શાકભાજીના ફેરીયાઓને અમરસિંહજી હાઇસ્કુલના મેદાનમાં ખસેડવા કાર્યવાહી

વાંકાનેર તા.ર૮ : વાંકાનેરમાં લોકડાઉન અંતર્ગત સોશ્યલ ડિસ્ટન્સ તથા સ્વાસ્થ્ય બાબતના અન્ય કારણોને લઇ કેટલીક શેરીઓના રસ્તાઓ પર આડશો કરાઇ છે. ઉપરાંત શેરની મુખ્ય બકાલા મારકેટમાં પણ ફેરફારો કરાયા છે.

જ્યારે આજે મોરબી જીલ્લા કલેકટરના આદેશ મુજબ નગરપાલીકા મુખ્ય અધિકારીની દેખરેખ હેઠળ ઓવરશીયર મહેશભાઇ, સેનીટેશન ઇન્સપેકટર દિપકસિંહ ઝાલા તેઓના સ્ટાફ સાથે ચાવડી ચોકથી ગ્રીનચોક, ગ્રીનચોકથી સિટી સ્ટેશન રોડ સહિતના રસાલા રોડ પર ઉભા રહેતા લારી ગલ્લાવાળાઓને અમરસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં ખસેડવાની કાર્યવાહી સવારથી હાથ ધરાઇ છે.

જયારે મારકેટ ચોક વિસ્તારના લારી ગલ્લાવાળાઓને ટાઉન હોલના મેદાનમાં સીફટ કરવામાં આવશે.

રસ્તાઓ પર કોઇપણ દ્વિચક્રી કે ફોર વ્હીલ વાહનો કલેકટરના આદેશ મુજબ નડતરૂપ રખાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મુખ્ય અધિકારી ગીરીશભાઇ સરૈયાએ એક ટેલીફોનીક વાતચિત્તમાં જણાવેલ હતું.

(11:42 am IST)