Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

શિવરાજપુરમાં માવતરેથી નીકળી ગયેલી નવોઢાએ હડમતીયા પાસે ઝેર પી લીધું

બે મહિના પહેલા જ ખારચીયાના યુવાન સાથે લગ્ન થયા છેઃ રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૨૮: ખારચીયા ગામે સાસરૂ ધરાવતી રાજુબેન ગિરીશ મકવાણા (ઉ.૨૨) નામની નવોઢા પખવાડીયાથી માવતરના ઘરે શિવરાજપુર આવી હતી. અહિથી ત્રણેક દિવસ પહેલા નીકળી જતાં પિતા અરવિંદભાઇ ભીમાભાઇ પરમાર સહિતના સ્વજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. દરમિયાન તેણીએ ગઇકાલે વિંછીયાના હડમતીયા પાસે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

અરવિંદભાઇના કહેવા મુજબ રાજુબેનના બે મહિના પહેલા જ લગ્ન થયા છે અને તેનો પતિ ગિરીશ મજૂરી કરે છે. હાલમાં તેણી અમારા ઘરે હતી. અહિથી તે નીકળી ગઇ હતી અને ગઇકાલે આ પગલુ ભર્યુ હતું. વિછીયા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)