Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ડો.બી.એસ. નિમાવતની ચિરવિદાયથી સેવા ક્ષેત્રે મોટી ખોટઃ ડો. ગોસ્‍વામી

જુનાગઢમાં ડોકટરને શ્રધ્‍ધાસુમન અર્પતા રાજકોટના ડોકટર

રાજકોટ તા. ર૮ :.. જુનાગઢ સિવિલ હોસ્‍પિટલના નિવૃત્ત મેડીકલ ઓફીસર ડો. બી. એસ. નિમાવત (ઉ.વ.૭૩) ના દુઃખદ અવસાન અંગે રાજકોટના નિવૃત્ત મેડીકલ ઓફીસર ડો. વી. જી. ગોસ્‍વામીએ ઉંડા દુઃખની લાગણી વ્‍યકત કરી જણાવેલ છે કે તેમની  ચિરવિદાયથી સમાજ સેવા ક્ષેત્રે મોટી ખોટ પડી છે.

ડો. વી. જી. ગૌસ્‍વામી જણાવે છે કે ડો. નિમાવત માટે સજજનતા, સમાજ સેવા અને સત્‍કર્મ શોભા હતી, કર્તવ્‍ય પરાયણ અને કર્મયોગી અમારા પરમ મિત્ર રામશરણ થતા અંતરથી હાર્દિક શ્રધ્‍ધાંજલી અર્પણ કરીએ છીએ.

(12:08 pm IST)