Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

પોરબંદર ખારવા સમાજના યુવા નેતા અશ્‍વિનભાઇ દેવજીભાઇ મોતીવારસને કોંગ્રેસની ટીકીટ આપવા માગણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૮: ખારવા સમાજ તથા કોંગ્રેસના યુવા નેતા અશ્‍વિનભાઇ દેવજીભાઇ મોતીવારસને વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસની ટીકીટ આપવાની માગણી ખારવા સમાજમાંથી થઇ રહી છે.

ખારવા સમાજના યુવા નેતા કોંગ્રેસના આગેવાન અશ્વિનભાઇ દેવજીભાઇ મોતીવારસ દ્વારા પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ટિકિટ આપવા અથવા પોરબંદર શહેર કોંગ્રેસનું પ્રમુખ પદ આપવા તેવી માંગ ખારવા સમાજમાંથી ઉઠી છે.

હાલમાં તમામ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જયારે ગયા હોય અને અમારા ખારવા સમાજનો દીકરા અશ્વિનભાઇ દેવજીભાઇ મોતીવારસ પોતાની ઈમાનદારી સાબિત કરી હોય ત્‍યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્‍તિસિંહ ભાઈ ગોહિલને ખારવા સમાજના આ કર્મઠ ઈમાનદાર યુવા નેતા અશ્વિન ભાઈ મોતીવારસ ને ટિકિટ આપવા અથવા પોરબંદર શહેરનું પ્રતિનિધિ પ્રમુખ પદ આપવા ખારવા સમાજના ભાઈઓ-બેહનોમાં સુર ઉઠ્‍યો છે ખારવા સમાજનો દીકરો પોરબંદરના અઢારે અઢાર વરણના સેવાકિય કામ ફ્રીમાં કરે છે તેને ન્‍યાય અપાવવા ખારવા સમાજના ભાઈઓ બેહનો જખો થી ઉંમર ગામ સુધી વસતા ખારવા માછીમાર ભાઈઓ બેહનો જેમની મત ની ટકા વારી ૭.૫% અને ૭૦ લાખ થી વધારે મતો ધરાવે છે ૧૬૦૦ કિલોમીટર દરિયાઈ વિસ્‍તાર માં જેમના વિસાર  મતો હોય તેવા અમારા ખારવા સમાજ ના દીકરા અશ્વિન ભાઈ મોતીવારસ એ હિંમત કરીને ટિકિટ માંગી છે.

સામાન્‍ય પરિવારમાંથી આવતા ખારવાના દીકરા એ એક સાહસ કર્યું હોય તેમને સાથ સહકાર આપવા માગણી ઉઠી છે. કર્મઠ ઈમાનદાર ખરાવા સમાજના દીકરા દ્વારા સેવાકિય પ્રવૃતિમા ૭૫૦ પરિવારને કોરોનામાં મળતકના પરિવારને ૫૦૦૦૦ ની રકમ આપવેલ હોય ૧૨૫૦ પરિવારને રાશન ચાલુ કરાવી આપેલ હોય વિધવા સહાય વળદ્ધ સહાય દિવ્‍યાંગ સહાય વિકલાંગ સહાય અને તમામ સરકારી યોજનાનો લાભ પોરબંદરના ગ્રામીય અને શહેરના ભાઈઓ બહેનો માતાઓને અપાવ્‍યો છે તેઓ સાગર મંથન ન્‍યૂઝ ટુડેના સંપાદક તથા સાગર મંથન ખારવા ભગત સેવા ટ્રસ્‍ટના પ્રમુખ છે.

(10:57 am IST)