Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

કનકાઇ મંદિરે જતા દર્શનાર્થીઓને જંગલખાતા દ્વારા કનડગતનો વિરોધ યથાવત : આમરણાંત ઉપવાસ આંદોલનનો બીજો દિ'

રાજકીય - સામાજીક આગેવાનો અને ભાવિકો દ્વારા સમર્થન

વિસાવદર તા.૨૮ : ગીરની મધ્યમાં આવેલ કનકાઈ માતાજીનાં મંદિરે જતા દર્શનાર્થિઓને જંગલખાતા દ્વારા સતત કનડગત કરાતા કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટનાં હરિભાઈ જાની, રમેશભાઇ પાનેરા, દેવાંગભાઇ ઓઝા, ઉદયકુમાર મહેતા, વિમલકુમાર મીઠાણીએ ગાંધી ચીંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ આંદોલન આજે બીજા દિવસમાં પ્રવેશ્યુ છે ત્યારે સાર્વત્રિક સમર્થન સાંપડી રહયુ છે.૧૭ સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો છે.જિલ્લા-તાલુકાના રાજકીય-સામાજિક અગ્રણીઓ-માઈ ભકતો છાવણીની મુલાકાત લઇ રહ્યા છે.

વિસાવદરથી કનકાઈ તરફ જતો રસ્તો ચોમાસા બાદ ધોવાણ થઇ જતા તેને રીપેર કરાવવાની અનેકવાર માંગણી કરવા છતા રીપેરીંગ કરવામાં આવેલ ન હોય,જેથી કનકાઇ મંદિર દ્વારા સ્વખર્ચે રસ્તો રીપેર કરવાની માંગ કરવામાં આવી હોય,પરંતુ આ માંગ પણ સ્વિકારવામાં આવી નહી કે,મંજૂરી પણ અપાઇ નહી...!!

આ ઉપરાંત સુર્યોદયથી સૂર્યાસ્ત સુધી પ્રવેશની છુટ હોવા છતાં આઠ વાગ્યા સુધી મેલડી નાકાથી અંદર પ્રવેશ આપવામાં આવતો નથી.ખુલ્લા વાહનોમાં માતાજીનાં દર્શન કરવા જતાં લોકોને પણ અટકાવવામાં આવતા હોવાના જંગલ ખાતા સામે વિવિધ આક્ષેપો સાથે તમામ પ્રશ્નોનુ નિરાકરણ ન આવે ત્યાં સુધી અચોકકસ મુદતનુ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તેવી જાહેરાત કરાઈ છે.

કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટનાં દેવાંગ ઓઝાના જણાવ્યા અનુસાર સમગ્ર ગીર પંથક અને દેશ-પરદેશમાં વસેલા માઇ ભકતોનાં આંદોલનને આશીર્વાદ છે.

(1:10 pm IST)