Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ઉનાના રામનગર ખારા વિસ્તારમાં દીપડાનો મુકામ : બચ્ચાને જન્મ આપ્યો : વાછરડાનું મારણ કર્યુ

વન વિભાગે દીપડીને પકડીને જંગલમાં છોડી દેવા ખેડુતોની માંગણી

ઉના તા ૨૮  : દેલવાડા રોડ ઉપર રામનગર ખારા વિસ્તારમાં લાંબા સમયથી દિપડીનો મુકામ કરેલ છે. દિપડીએ બચ્ચાને જન્મ આપ્યો અને એક વાછરડીનું દિપડીએ મારણ કર્યુ છે. વન વિભાગ આ દિપડીને પકડીને જંગલમાં છોડી મુકવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

દેલવાડા રોડ ઉપર રેલ્વે પાટા પાછળ રામનગર ખારા વિસ્તારમાં લાંબા સમયથી દિપડો-દિપડીનું જોડાએ નિવાસ સ્થાન ખેતરમાં બનાવી દીધુ છે. રાત્રીના દીપડાએ એક વાછરડીનો શિકાર કરી મારી નાખી હતી, તેમજ ખેતરમાં ઉભા પાકની અંદર દિપડીએ તેમના બે બચ્ચાને જન્મ આપેલ છે અને દિપડાના ભયથી ખેડુતો રાત્રીના, દિવસે ખેતરમાં પાણી વાળવા જતા ભય અનુભવે છે. આ દિપડાનો પરિવાર માનવી ઉપર હુમલો કરે તે પહેલા વન વિભાગ પકડી અને જંગલમાં મુકી આવે તેવી આ વિસ્તારના લોકોની માંગણી ઉઠી છે.

(11:42 am IST)