Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મોરબીની બ્રાહ્મણ પરીણિતાને રાજકોટ સ્થિત પતિ-સાસરીયા દ્વારા ત્રાસ : ફરીયાદ

 મોરબી, તા. ર૭ : મોરબીની પરિણિતાએ રાજકોટ સ્થિત પતિ, સસરા, સાસુ અને નણંદ સામે શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદી શ્વેતાબેન રવિ જીતેન્દ્રભાઇ દવેએ રાજકોટ કરણપરામાં રહેતા પતિ રવિભાઇ, સસરા જીતેન્દ્રભાઇ, સાસુ સુધાબેન અને જામનગર રહેતા નણંદ નેહાબેન વિરૃદ્ધ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ પોતાના સાસુ, સસરા અને નણંદની ચઢામણીથી પતિને ઉશ્કેરી ત્રાસ અપાતો હોવાનું જણાવયું છે. તેમજ પતિ દ્વારા તને હાથનો દુઃખાવો છે તેમ કહી તારા માવતરે જઇ આરામ કરવાનું કહી મોકલી દીધા બાદ તેડવા નહિ આવ્યાનું અને પતિ ગાળો દેવા સાથે શારીરીક માનસીક ત્રાસ આપતા હોવાનું જણાવાયું છે.

(3:51 pm IST)