Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ઉનાથી વિરપુર પદયાત્રા સંઘનું વડિયામાં સ્વાગત

વડિયા : ઉના થી વિરપુર પદયાત્રા સંઘનું દર વર્ષની જેમ આ વર્ષે પણ વડિયામાં લોહાણા મહાજન વાડીમાં રાત્રિ રોકાણનું આયોજન કરવામાં આવેલ હતું. જયારે વડિયામાં ઉનાવાળા પદયાત્રીઓનું આગમન થાય ત્યારે વડિયામાં અનેરો ઉત્સવ થઇ જાય છે. આ સત્કાર્યમાં કેશુભાઇ ઉંઘાડ, છગનભાઇ ઢોલરીયા, નિલેષભાઇ પરમાર, ભરતભાઇ વઘાસીયા, તુષાર ગણાત્રા, કેયુર અજાબીયા, જીગર સેજપાલ, પરેશ સાદરાણી, વિમલ સાદરણી, મુનો રાંક, રાજેશ ગોહેલ, સંજય ઢોલરછયા, સુરેશ ઢોલરીયા, સમજુબાપા લોકડીયા તેમજ મહેન્દ્રભાઇ આંકોલીયા વગેરે સેવામાં અગ્રેસર હોય છે. તેમજ લલીતભાઇ ગણાત્રાએ તેમની ટીમ સાથે કોઇ સ્વાર્થ વગર સેવા આપે છે. મહેશભાઇ અઘેરા(કંદોઇ) સવારે ગરમા-ગરમ નાસ્તો બનાવીને શ્રમદાનની સેવા આપે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મિતુલભાઇ ગણાત્રાએ ભોજન પ્રસાદ તેમજ રાત્રિ રોકાણનું આયોજન કરેલ હતું.

(12:07 pm IST)