Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

ભાવનગરમાં સ્પર્ધાત્મક પરિક્ષા અંગે વર્ગ

ભાવનગર : વાળંદ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક સ્પર્ધાત્મક પરિક્ષાના વર્ગોનો પ્રારંભ થયો છે. શ્રી સેન સારવત શૈક્ષણિક સંસ્થા દ્વારા નિઃશુલ્ક જનરલ નોલેજના વર્ગો જ્ઞાનગુરૂ વિદ્યાપીઠ કાળીયાળા ખાતે પ્રારંભ થયો છે. દર શનિ - રવિ વિવિધ વિષયોના નિષ્ણાંતો દ્વારા વર્ગો લેવામાં આવશે. વર્ગોના પ્રારંભે પ્રો.ડો. કેયુરભાઇ દસાડીયા, બાબુભાઇ વાજા, ભરતભાઇ રાઠોડ, વિપુલભાઇ હિરાણી (પત્રકાર) જનકભાઇ વાઘેલા, મહાવીર રાઠોડ વગેરેએ પ્રેરક હાજરી આપી હતી. આ વર્ગોમાં જોડાવા મો. ૯૮૯૮૦ ૩૭૦૪૫ ઉપર બાબુભાઇ વાજાનો સંપર્ક કરવો. વર્ગોનો પ્રારંભ થયો તે તસ્વીર.

(11:46 am IST)