Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

જૂનાગઢમાં પૂ.ભારતીબાપુને શ્રધ્ધાસુમન અર્પણ કરતા પૂ.મોરારીબાપુ

જૂનાગઢ : જૂનાગઢ અને અમદાવાદશ્રી ભારતી આશ્રમના સંસ્થાપક મહામંડલેશ્વર પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજ ગત તા. ૧૧ એપ્રિલના રોજ મધ્યરાત્રીએ ૨:૩૦ કલાકે બ્રહ્મલીન થતા હજુ પણ સાધુ સંતો તેમને શ્રધ્ધાંજલી આપી રહ્યા છે. ગઇ કાલે જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે વિશ્વવંદનીય સંત પૂ.મોરારીબાપુએ ભારતી આશ્રમ ખાતે આવીને પૂ.ભારતીબાપુના સમાધી સ્થળે આવી શ્રધ્ધાંજલી આપી હતી અને પૂ.બાપુ સાથેના સ્મરણો યાદ કર્યો હતા. ઉપરોકત તસ્વીરમાં પૂ.બાપુની સમાધીના દર્શન કરી શ્રધ્ધાસુમન અર્પણ કરતા પૂ.મોરારીબાપુ સાથે આશ્રમના મહંત પૂ.હરીહરાનંદભારતીબાપુ પૂ.મહાદેવ ભારતીબાપુ પૂ. દલપતગીરીબાપુ જેન્તીભાઇ ચાંદ્રા, દાદુભાઇ કનારા, અલ્પેશભાઇ મહેતા તેમજ સંજયભાઇ મહેતા સહિતના નજેર પડે છે. (અહેવાલ : વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(12:57 pm IST)