Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ઉપલેટા નજીક અમરાપર પાસે બે બાઇક વચ્‍ચે અકસ્‍માતમાં ઘવાયેલા મેહુલભાઇનું મોત

ખાંગેશ્રીના યુવાને રાજકોટમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ર૭ : ઉપલેટા નજીક આવેલા અમરાપર ગામ પાસે બે દિવસ પહેલા બે બાઇક વચ્‍ચે થયેલા અકસ્‍માતમાં ઘવાયેલા પોરબંદરના ખાંગેશ્રીગામના યુવાનનું રાજકોટની હોસ્‍પિટલમાં મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ પોરબંદર કુતીયાણા ખાંગેશ્રી ગામમાં રહેતા મેહુલભાઇ રમેશભાઇ મણવાર (ઉ.૩૪) ગત તા.રપના રોજ પોતાનું બાઇક લઇને ઉપલેટાથી ખાંગેશ્રી આવતા હતા ત્‍યારે અમરાપર ગામ પાસે બીજા બાઇક સાથે ભટકાતા મેહુલભાઇ ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતીબાદ તેને સારવાર માટે તાકીદે સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં ગઇકાલે તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું મૃતક મેહુલભાઇ બે ભાઇ એક બહેનમાં મોટા હતા તે મોટર રીવાઇડીંગનું કામ કરતા હતા આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. સોમૈયા તથા રાઇટર શીવભદ્રસિંહએ પ્રાથમીક કાગળો કી કાર્યવાહી કરી હતી

 

(11:31 am IST)