Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ઓખા વલસાડની માછીમારી બોટે દરિયામાં પલટી મારીઃ કોઇ જાનહાની નહિઃ બોટમાં લાખોની નુકશાની

(ભરત બારાઇ દ્વારા) ઓખા, તા.૨૭: બેટ વચ્ચે બનતા સિગ્નેચર પુલના દરીયામાં રહેતા કામકાજને કારણે અવારનવાર ત્યાથી પસાર થતી મચ્છીમારી બોટમાં અકસ્માત થતા હોય છે. આજ વધુ એક વલસાડની બોટમાં અકસ્માત સર્જાયો હતો. અને આખી બોટ ઉંધી વળી ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ બોટ માલિક હસમુખ પરસોતમના કહેવા મુજબ બોટમાં લાખાનું નુકશાન થયું હતું અને તેમણે પુલ બનાવતા અધિકારીઓને આ કામકાજના સમયે દરિયામાં રાત્રીના સિગ્નલો રાખવા અપીલ કરી હતી.

(11:59 am IST)