Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ "ગાંધી સંદેશ યાત્રા" રૂપે પોરબંદર કિર્તીમંદીરથી સાબરમતી આશ્રમ સુધી બાઈક રેલી યોજાઈ

મોટર વિહિકલ એકટનો સવિનય કાનુનભંગ: વિપક્ષ નેતા સહિતના નેતાઓ કાર્યકરો જોડાયા

 

પોરબંદર : ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નીમિત્તે તેમજ ભાજપ સરકાર દ્રારા આમ પ્રજા પર લાગુ પાડેલ તાનાશાહી મોટર વિહિકલ એકટનો સવિનય કાનુનભંગ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્રારા "ગાંધી સંદેશ યાત્રા" રૂપે પોરબંદર કિર્તીમંદીર થી સાબરમતી આશ્રમ સુધી બાઈક રેલી નું આયોજન કરેલ હતું

  આજે  નિર્ધારિત સમય મુજબ પ્રસ્થાન કરેલ જેમાં વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, અર્જુનભાઈ મોઢવાડીયા, માંગરોળ-માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજા, ધારાસભ્યશ્રી લલીતભાઈ વસોયા,ઊનાના ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશ,જુનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકિયા તેમજ કોંગ્રેસના અસંખ્ય કાર્યકરો અને ગાંધી વિચારધારાને વરેલા કોંગ્રેસ જનોએ મોટી સંખ્યામાં બાઈકરેલી માં ભાગ લીધો હતો ગાંધી સંદેશ યાત્રાને  અર્જુનભાઈ મોઢવાડીયા,બાબુભાઇ વાજા અને  પુંજાભાઈ વંશ.સહિતએ પ્રસ્થાન કરાવ્યુ હતું 

 

(10:49 pm IST)