Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જુનાગઢમાંથી પરિણિતાનું અપહરણ કરી ચોટીલા અને દીવ ખાતે બળાત્કાર

રોકડ અને સોનાનો ચેઇન સહિત રૂ.૪૩ હજાર પડાવી લીધા

જુનાગઢ, તા. ર૭ : જુનાગઢમાંથી એક પરિણિતાનું અપહરણ કરી બાદમાં તેણીને ચોટીલા અને દીવ લઇ જઇ ગેસ્ટ હાઉસમાં બળાત્કાર ગુજાર્યો હોવાની અને નરાધમે રૂ.૪૩ હજારની મત્તા પણ પઠાવી લીધી હોવાની પોલીસ ફરીયાદ થઇ છે.

આ અંગે પોલીસમાં થયેલી ફરીયાદની વિગતો એવી છે કે ભોગ બનનાર રપ વર્ષીય પરિણિતા તેના સંતાનો-પરિવાર સાથે જુનાગઢના ટીંબાવાડીમાં આવેલ ગોપાલધામ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે.  ગત તા.ર૧ની બપોરે પરિણિતાની બાજુમાં ભાડે રહેતો ઇકબાલ સુલેમાને પરિણિતાને તારે મારી સાથે આવવાનું છે તેમ કહી બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી.

બાદમાં ઇકબાલે ભૂરો ઉર્ફે વસંત અને ભયલુ રીક્ષાવાળોને પરિણિતાના ઘરે મોકલી રીક્ષામાં અપહરણ કરી ગયો હતો.

આ પછી તા. રપ-૯ સુધી પરિણિતાને ચોટીલા અને દીવ લઇ જઇ અવાર નવાર ઇકબાલ સુલેમાને ગેસ્ટહાઉસમાં પરિણિતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

તેમજ બીક બતાવી દુષ્કર્મનો ભોગ બનેલ પરિણિતા પાસેથી રૂ. ૧૦ હજારની રોકડ તેમજ તેણીએ ગળામાં પહેરેલ રૂ. ૩૦ હજારની કિંમતનો સોનાનો ચેન તેમજ રૂ. ૩૦૦૦નો મોબાઇલ મળી કુલ રૂ. ૪૩ હજારની માલમતા પઠાવી લીધી હતી.

આ અંગે ગઇકાલે સાંજે પરિણિતાએ ફરીયાદ કરતા સી-ડીવીઝન પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતતી. વિશેષ તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી.જી. મકવાણા ચલાવી રહ્યા છે.

(2:33 pm IST)