Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની બીજી માસીક પુણ્યતિથિએ

કાલાવાડ તાલુકા લેઉવા પટેલ સમાજના નવા ભવનના નિર્માણ પ્રસંગે રકતદાન કેમ્પ

કાલાવાડ તા. ૨૭: શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં જયાં પટેલ સમાજ ભવનનુ ભવ્ય નિર્માણ થવા જઇ રહ્યુ છે. ત્યાં બાલાભંડી રોડ સ્થિતિ જુના કપાસ યાર્ડ ખાતે તારીખઃ ૨૯ને રવિવારે સવારે ૯.૦૦ વાગ્યાથી મહા રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે, કાલાવાડના તમામ જ્ઞાતિજનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં રકતદાન કરશે.

આ રકતદાન કેમ્પ પૂર્વ સાંસદ સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની દ્વિતિય માસીક પુણ્યતિથીએ શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાઇ રહયો છે. કેમ્પનો પ્રારંભ ુરતના સહજાનંદ ટેકનોલોજીસવાળા અગ્રણી ઉદ્યોગપતિશ્રી વિનોદભાઇ સવજીભાઇ વસોયા, શ્રી ધીરૂભાઇ સવજીભાઇ વસોયા, અને બાલાજી વેફર્સવાળા શ્રી ચંદુભાઇ વિરાણી કરશે.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નયનાબેન માધાણી, કાલાવાડ નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી મુકતાબેન ફળદુ, જામનગર જીલ્લા પંચાયત સદસ્ય શ્રી જે.ટી.પટેલ, માજી સાંસદ શ્રી ચંદ્રેશભાઇ પટઠેલ અને સામાજીક અગ્રણીશ્રી રમેશભાઇ મુંગરા ઉપસ્થિત રહેશે.

શ્રી કાલાવડ તાલુકાના લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાનાર આ મહા રકતદાન કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઇ એન.ઠેસીયા, મંત્રી અરજણભાઇ સોજીત્રા, ઉપપ્રમુખ ગીરીશભાઇ કથીરીયા અને ખજાનચી હિતેષભાઇ અકબરી સાથે ટ્રસ્ટીઓ સર્વે વિનોદભાઇ વસોયા, હિતેષભાઇ સાંગાણી, ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:50 am IST)