Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જામનગરમાં અકસ્માતમાં ઘવાયેલા પાંચાભાઇ સોનાગરાનુ રાજકોટમાં મોત

અજાણ્યા વાહનના ચાલકે સાયકલને ઠોકર મારતા અકસ્માત સર્જાયો'તો

રાજકોટ તા. ર૭ : જામનગરની યોગેશ્વર સોસાયટી પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ જામનગર ગુલાબનગર પાસે યોગેશ્વર સોસાયટી શેરી નં.૪માં રહેતા પાંચાભાઇ અરજણભાઇ સોનાગરા (ઉ.૬૦) પોતાની સાયકલ લઇને જતા હતા ત્યારે અજાણ્યા વાહનના ચાલકે સાયકલને ઠોકર મારતા વૃદ્ધને ગંભીર ઇજા થતા પ્રથમ જામનગર બાદ વધુ સારવાર માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલાં ખસેડાયા હતા ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ બી.કે.ભટ્ટ તથા રાઇટર કમલેશભાઇએ પ્રાથમીક કાગળો કરી જામનગર મોકલ્યા છે.

(11:38 am IST)