Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મેંદરડા-જુનાગઢ જતી ર એસ.ટી.બસ બંધ : અન્ય બસોમાં ધક્કા મૂકી

મેંદરડા, તા. ર૭ : મેંદરડા જુનાગઢ જતી બે બસ રદ થતાં છાત્રોને દરરોજના માટે ઉભા રહેવું પડે છે ધક્કા મૂકી થાય છે.

સાતમ-આઠમથી  (૧) જસાપુર ધોરાજી, (ર) વીઠલપુર ઉપલેટા બસ બંધ થતાં સાસણથી મેંદરડા સુધીના વચચમાં આવતા ર૦૦ જેટલા વિદ્યાર્થી આ રૂટ પર આવે છે જેને લઇ આ રૂટપર માત્ર આકોલવડી રાજકોટ એકજ બસ સ્કૂલના સમય પર ચાલુ છે. જેને લઇ વચ્ચમાં આવતા પ ગામના વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા આ એકજ બસ લાગુ પડે છે.

દરરોજ છાત્રો બસમાં ચડવા માટે પડાપડી કરી પોતાનો જીવ જોખમમાં મૂકે છે. તેમજ આ રૂટ પર મેંદરડાથી છાત્રો તેમજ નોકરીયાત લોકો પણ જૂનાગઢ સુધી જાય છે.

મેંદરડાથી છાત્રો સાસણ જવા માટે પણ ૧-૩૦ વાગ્યે બસ મળે છે  જૂનાગઢ તાલાળા બસ પહેલા ચાલુ હતી તેને ચાલુ કરવા રજુઆત કરી છે. તેમજ સવારે (૧) જસાપર-ધોરાજી, (ર) વિઠલપુર-ઉપલેટા બસ ચાલુ કરવા છાત્રોની માંગ ઉઠી હતી. થોડા દિવસમાં બસ ચાલુ નહીં કરવામાં આવેતો છાત્રો દ્વારકા ચકાજામની ચીમકી આપી છે.

(11:37 am IST)