Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

જૂનાગઢનાં મિડીયા કર્મી. પરનાં હુમલાનાં વિરોધમાં પત્રકારોની એસ.પી.નો રજુઆત

જૂનાગઢ તા. ર૭: જૂનાગઢનાં મિડીયા કર્મી. પરનાં હુમલાનાં વિરોધમાં પત્રકારોએ એસ.પી.ને રજુઆત કરી હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

પ્રાદેશિક ન્યુઝ ચેનલનાં જૂનાગઢ ખાતેનાં પત્રકાર વિજયસિંહ પરમાર ઉપર ગત મંગળવારે સમાચાર બાબતે એક શખ્સે હુમલો કર્યો હતો.

જેમાં ઇજા થતાં વિજયસિંહને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ હુમલાનાં વિરોધમાં આજે બપોરે પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયાનાં પત્રકાર મિત્રોએ એસ.પી. સૌરભસિંઘને રૂબરૂ મળીને રજુઆત કરી હતી.

પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘે હુમલાખોર વિરૂધ્ધ કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.

(4:01 pm IST)