Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

જસદણ-બાબરા અને ગઢકામાં નટુભાઈ ખાચર દ્વારા ગરીબ દર્દીઓની અનોખી સેવા

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૨૭ :. વાંકીયા ગામે રહેતા સુખી સંપન્ન પરિવારમાંથી કાઠી ક્ષત્રિય નટુભાઈ શાંતુભાઈ ખાચરએ અત્યાર સુધીમાં જસદણ ગઢડા અને બાબરા તાલુકાના ગામડાઓમાંથી આવતા હજ્જારો ગરીબ દર્દીઓને સમયસર મદદરૂપ બની એક ખરા અર્થમાં લોકોની પીડા મિટાવી છે.

નટુભાઈ દર્દીઓની સેવા એક સામાન્ય જન જેમ કરે છે ત્રણેય તાલુકાના ગામડાઓમાં વસતા લોકો મોટાભાગે અભણ ખેડૂતો હોય છે તેઓના પરિવારમાં કોઈ સભ્યને કોઈપણ બિમારી આવે તો તેઓ પહેલા નટુભાઈને ફોન કરે છે કે તેઓ અડધી રાત્રીના પણ તે દર્દીઓના સગા-સંબંધીઓ સાથે જસદણ સારવાર માટે જઈ તેમને દાખલ અને સારવાર ચાલુ કરાવી પછી જ ઘેર પરત ફરે છે જો દર્દીઓને કોઈ ગંભીર બિમારી હોવાનું ડોકટર જણાવે તો તેમની સાથે છેક રાજકોટ-અમદાવાદ સુધી તેમની સાથે જઈ તે પણ સિવિલ હોસ્પીટલમાં દર્દીઓના સગાને કોઈ નકામા પૈસાનો વેડફાડ થતો અટકાવી આ સેવા તેમણે ૧૯૯૭થી શરૂ રાખી છે.

આવા માનવતાવાદી નટુભાઈ અત્યાર સુધીમાં હજ્જારો દર્દીઓને હોસ્પીટલમાં સાથે જઈ સારવાર અપાવી છે અને ઓપરેશન કરાવ્યા છે. તેમની આ યાત્રા હજુ ચાલુ છે તેમના કહેવા મુજબ કોઈ ગરીબ દર્દીઓને હોસ્પીટલ સુધી પહોંચવાની શકિત ન હોય અને આ કામમાં તો સમયે મો. ૯૯૧૩૧ ૦૦૧૯૩ ઉપર ફોન કરી શકે છે તેમ જણાવાયુ છે.

(10:22 am IST)