Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

વીજળી પડવાને લીધે માર્યા ગયેલા બિહાર, ઉત્તરપ્રદેશ અને

ઝારખંડના મૃતકોને પૂ. મોરારીબાપુ તરફથી સાડા પાંચ લાખની સહાય

ભાવનગર તા.૨૭ : બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડના અનેક વિસ્તારોમાં ગત દિવસોમાં આકાશી વીજળી પડવાને કારણે ૧૧૦ થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે.

પ્રતિ વર્ષ ચોમાસાની ઋતુમાં વીજળી પડવી એ સામાન્ય ઘટના છે. પરંતુ આ સાલ બિહાર યુ.પી જેવા પ્રદેશોમાં આકાશી વીજળીએ વધુ રૌદ્ર સ્વરૂપઙ્ગ ધારણ કર્યું છે અને તેને લીધે અત્યાર સુધીમાં દેશના ફકત ત્રણ રાજયોમાં જ ૧૧૦ લોકોએ પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે.

આ તમામ મૃતકોને પૂજય મોરારિબાપુ તરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિવારજનોને પાંચ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવી રહી છે. બિહાર તેમજ ઉત્તરપ્રદેશ વિસ્તારના રામકથાનાં શ્રોતાઓ દ્વારા આ સહાય પહોંચાડવામાં આવશે. આ સહાયની કુલ રાશી સાડા પાંચ લાખ થવા જાય છે. તેમ જયદેવભાઈ માંકડે જણાવ્યું હતુ.

(9:56 am IST)