Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

સુરેન્દ્રનગરમાં પંચમુખી હનુમાનજીના મંદીરનો જીર્ણોદ્વાર

વઢવાણઃ સુરેન્દ્રનગર શહેરમાં પતરાવાળીહોટલ વાળા વિસ્તારમાં પંચમુખી હનુમાનજી મંદીર ખાતે અનેક લોકો  આસ્થા સાથે આ પંચમુખી હનુમાન મંદીરે દર્શન માટે આવતા હોય છે.  મંદીર ઘણા સમયથી જર્જરીત બની ગયુ હતુ ત્યારે આ મંદીર-છતનો ભાગ પડવાના કારણેઅગાઉ મહારાજને ઇજા પણ પહોંચવાનીઘટના બનેલ હતી. ત્યારે આ પંચમુખી હનુમાન મંદીરના જીર્ણોદ્ધાર કરવા માટે મહંત દ્વારા અપિલ પણ કરવામાં આવેલ હતી ત્યારે વિહિપના પ્રમુખ વસંતભાઇ પટેલ, તેમજ તેમના કાર્યકરો દ્વારા પંચમુખી હનુમાન મંદીરે  આરતી કરી ત્યારબાદ જિર્ણોદ્ધાર કરી નવુ બનાવવા માટેની કામગીરી હાલમાં હાથ ધરાઇ છે ત્યારે આ પંચમુખી  મંદીર બાંધવા ત્રણ લાખની રકમ જેટલી થાય છે ત્યારે દાતાઓનેદાન આપવા  માટે પણ મહંત દ્વારા અપિલ કરવામાં આવેલ છે. (તસ્વીરઃ અહેવાલઃ ફારૂક ચૌહાણ - વઢવાણ)

(11:49 am IST)