Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

પોરબંદરમાં ઉજાલા બલ્બને ગેરન્ટી સમયમાં બદલવાની વ્યવસ્થા નથીઃ ચેમ્બર દ્વારા રજૂઆત

પોરબંદર તા. ર૭ :.. ઉજાલા બલ્બને ગેરેન્ટી સમયમાં બદલવાની કોઇ વ્યવસ્થા નહીં હોવાનું ચેમ્બર ઓફ કોમર્સના ભરતભાઇ રાયચુરાએ કલેકટરને રજૂઆતમાં જણાવેલ છે કે, સરકારશ્રી દ્વારા જાહેર જનતા માટે રાહત ભાવે 'ઉજાલા' બલ્બનું વીજ ઓફીસેથી વહેંચાણ કરેલ હતું અને જે તે સમયે નિશ્ચિત મુદતમાં બદલાવી આપવાની ગેરેંટી પણ આપવામાં આવેલ હતી પરંતુ ઘણાં સમયથી ડેમેજ થયેલા બલ્બ બદલવા માટેની કોઇ જ વ્યવસ્થા નથી. આ બાબતે પીજીવીસીએલ ઓફીસમાં રૂબરૂ રજૂઆત કરતા જાણવા મળેલ કે જેને કોન્ટ્રાક અપાયેલ હતો તે આવે તો બદલાવી શકય એવો જવાબ આપવામાં આવે છે. સરકારશ્રી દ્વારા ઉજાલા બલ્બની જાહેરાતો કરેલ અને પ્રજાને આ આ યોજનાનો ભરપુર લાભ લીધેલ પરંતુ હવે ડેમેજ માલ બદલવા માટે ઠાગ-ઠૈયા થઇ રહ્યાનું  રજૂઆતમાં  જણાવેલ છે.

(11:40 am IST)