Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

અલંગ મણાર કઠવા સહિતના ગામોમાં જગન્નાથ યાત્રા

તળાજા, તા.૨૭: તળાજાના અલંગ મણાર અને કઠવા ગામે શ્રી જગન્નાથ ભગવાનની યાત્રા નીકળશે. સવારના ૮.૩૦થી યાત્રાનો પ્રારંભ થશે ને રાત્રે ૧૦ કલાકે ગામડાઓ ફરી ને યાત્રા પૂર્ણ થશે.

જગતનો નાથ એવા શ્રી જગન્નાથ ની યાત્રા છેલ્લા ૧૯ વર્ષ થી અલંગ મણાર ખાતે દુર્ગાચરણ પોન્ડા દ્વાર યોજવામાં આવે છે. આગામી તા. ૪ ના રોજ ૨૦મી રથ યાત્રાનું આયોજન અલંગ મણાર રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યૂ છે. સવારે ૮.૩૦ કલાકે જગન્નાથ મંદિરેથી વિધિ વિધાન પૂર્વક યાત્રાનો પ્રારંભ થશે.પ્લોટ નં.૯ ની સામે આવેલ મંદિરમાં થી પ્રસ્થાન થયા બાદ નનાગોપનાથ , મહાકાળી મંદિર સર્કલ, ગીતાનજલી ચોકડી,કઠવા,અલંગ ગામ થઈ યાત્રા નિજ મંદિરે પરત ફરશે.

યાત્રા માં સ્થાનિક,તાલુકા અને જિલ્લા મથકના રાજકીય, સામાજિક આગેવાનો ને આમંત્રિત કરવામાં આવ્યા છે. સ્વાગત વિધિ બપોરબાદ ૩ થી ૪.૩૦ સુધી ગીતાનજલી ચોકડી, સાંઈનાથ વેબ્રિઝ, મણાર ખાતે રાખવામાં આવેલ છે.

(11:30 am IST)