Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

જામનગરથી પરપ્રાંતીય શ્રમિકોને લઇ ૧૬મી શ્રમિક ટ્રેન હાવરા જવા રવાના

જામનગરના ૮૪૫, દેવભૂમિ દ્વારકાના ૩૦૧ અને સુરેન્દ્રનગરના ૩૦૦ શ્રમિકોનું વતન પ્રયાણ : જામનગર જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા કુલ ૧૬ ટ્રેન દ્વારા કુલ ૨૨,૮૧૮થી વધુ શ્રમિકોને યુ.પી.-બિહાર-ઝારખંડ-પશ્ચિમ બંગાળ વતન પહોંચાડાયા

જામનગર,તા.૨૭: કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટીતંત્ર અને પશ્યિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા ઉત્ત્।ર પ્રદેશ- બિહાર- ઝારખંડ રાજયોમાં ટ્રેન દ્વારા વતન પહોંચાડવામાં આવ્યા છે.

ગઇ કાલે જામનગર રેલ્વે જંકશન ખાતેથી અંદાજે ૧૪૩૭ જેટલા પરપ્રાંતિય મજુરોને તેમના પરિવારને પશ્ચિમ બંગાળ- હાવરા ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩૦૧ શ્રમિકો, સુરેન્દ્રનગર જિલ્લાના ૩૦૦ શ્રમિકો અને ૮૪૫ જામનગરથી શ્રમિકોને એમ કુલ ૧૪૪૬ શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા જામનગરથી અંતિમ અને ૧૬મી ટ્રેન મોકલવામાં આવી છે. આજસુધીમાં ટ્રેન દ્વારા જામનગર જિલ્લાના ૧૧,૮૦૫ શ્રમિકોને ઉત્ત્।રપ્રદેશ, ૮,૫૪૧ શ્રમિકોને બિહાર અને ૧૦૨૬ શ્રમિકોને ઝારખંડ તેમજ આજે ૮૪૫ શ્રમિકોને પશ્ચિમ બંગાળ એમ કુલ ૨૨, ૨૧૭ શ્રમિકોને અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩૦૧ શ્રમિકો, સુરેન્દ્રનગર જિલ્લાના ૩૦૦ શ્રમિકોને તેમના વતન મોકલાયા છે.

વતન વાપસીની વેળાએ જામનગરમાં સોની કામ કરતા હાવરાના સુભાષ સામંતે કહ્યું હતું કે,  જામનગર અમારી કર્મભૂમિ છે, કામ કરીને રોજી મેળવવાની છે, એ માટે જામનગર જલ્દી પાછા ફરીશું પણ કોરોનાની આ પરિસ્થિતિમાં સરકારે અમને વતન જવા માટેની વ્યવસ્થા કરી આપી એ માટે ખૂબ ખૂબ આભાર.

મુર્શિદાબાદના ચિરંજીતએ હાલ વતન પહોંચવા માટે સરકારની વ્યવસ્થા અંગે કૃતજ્ઞતા વ્યકત કરતા કહ્યું હતું કે, વાડીનાર ખાતે આઇ.સી.એલ.માં મેન્ટેનન્સ માટે હું આવ્યો હતો, કોરોનાના કારણે કામ બંધ હતું ફરીથી કામ શરૂ થશે એટલે કામ માટે જરૂરથી આવીશું.

આ અંગે પશ્ચિમ બંગાળ સરકારને જિલ્લાનુસાર શ્રમિકોની યાદી સ્થળ પરથી જ ઓનલાઇન મોકલવામાં આવી હતી. જામનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ,ઙ્ગપાણીની બોટલ, ફળ અને હેન્ડ વોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ,ઙ્ગક્રિમ બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા.

રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનીટાઈઝડ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે.

(11:34 am IST)