Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના ટેસ્ટીંગ નહિવત થતા ધારાસભ્ય નૌશાદ સોલંકીની કોર્ટમાં રજુઆત

વઢવાણ,તા.૨૭: સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસના ટેસ્ટીંગ રિપોર્ટ ઓછા થતાં હોવાના કારણે આ બાબતે પાટડી દસાડા ધારાસભ્ય વહીવટી તંત્રનું પણ ધ્યાન દોર્યું હતું છતાં પણ કોઈ શંકાસ્પદ લોકોના ટેસ્ટિંગ નહિ થતા હોવાનું નૌસાદ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે વહીવટી તંત્ર આ બાબતે ગંભીર નોંધ લેતા આજે સવારે પાટડી ધારાસભ્ય નૌસાદ સોલંકી દ્વારા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકટ કોર્ટમાં જજને રજૂઆત કરવામાં આવી છે..

આગામી સમયમાં ટેસ્ટીંગ વધારી અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ ના સાચા આંકડા બહાર આવે એવી પણ ધારાસભ્ય નૌસાદભાઈ સોલંકી દ્વારા માંગ કરવામાં આવી છે.

(1:10 pm IST)