Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ખંભાળીયાના વાડીનાર બંદરે જ્યોર્જીયા દેશમાંથી આવતા ક્રુ મેમ્બરનું મોત : તંત્રમાં દોડધામ

ખંભાળીયા તા. ૨૭ : વાડીનાર બંદરે આજે સાંજે આવનાર ફલેગશીપ તુલીપ નામની જ્યોર્જીયા દેશની શીપ આવનાર છે. આ શીપ માર્શલ આઇસલેન્ડ પરથી નીકળેલ. તેમાં મે. જોન પીન્ટો ઇન્ટરનેશનલ કંપનીનો એક ક્રુ મેમ્બર રસ્તામાં બીમારીને કારણે મૃત્યુ પામ્યો હોય આ શીપ આજે સાંજે કે રાત્રે વાડીનાર આવનાર છે. ત્યારે જ્યોર્જીયા દેશના મંત્રાલયે આ શખ્સની બોડી આ કંપનીના જવાબદારોને સોંપવા માટે વિનંતી પત્ર કર્યો છે.

જોકે આ વ્યકિત કયા રોગને કારણે મૃત્યુ પામ્યો છે તે અંગે તપાસ કરીને પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે.

જ્યોર્જી સારાવીડઝ નામનો આ મૃતક શખ્સ બે માસથી મરણ પામીને દરિયામાં શીપ પર જ કેમ રહ્યો તે અંગે કોઇ જાણકારી મળી નથી પણ આ વ્યકિતનું મેડિકલ ચેકીંગ કર્યા પછી કાર્યવાહી થશે. જો કે હાલ તંત્ર પણ ધંધે લાગ્યું છે.(

(1:03 pm IST)