Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

જસદણ - વિંછીયાની મુલાકાતે રાજ્યના કેબિનેટ મંત્રી બાવળીયા

જસદણ તા.ર૭ : ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજી દ્વારા સમગ્ર રાજયના લાખો નાના-મોટા કેટલાંક દુકાનધારક, ધંધા-વ્યવસાયકારોને પોતાના ધંધા-વ્યવસાય શરૂ કરવા માટે છુટ આપવામાં આવી તે અનુસંધાને આજરોજ જસદણ-વિંછીયા પંથકમાં રૂબરૂ મુલાકાત લીધી અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તથા સરકારનીગાઇડલાઇન અનુસાર ખરીદ-વેચાણ થાય તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો તેમજ માસ્કનું વિતરણ કર્યું. જેમા મામલતદારશ્રી, ટીડીઓ, પ્રાંત અધિકારી, વહીવટીય અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:09 pm IST)