Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ગોંડલઃ મુખ્ય બજારો ૩ જી મે સુધી બંધ રહેશેઃ સોસાયટીની દુકાનોને છૂટછાટ

ગોંડલ :  રાજય સરકારે વેપારીઓને પોતાની દુકાન ખુલ્લી રાખવા બાબતે જાહેરાત કરી તેના અનુસંધાને જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણા તથા પ્રાંત અધિકારી શ્રી રાજેશકુમાર આલ તથા ડીવાયએસપી ઝાલા તથા મામલતદાર જાડેજા, નગરપાલિકાના શાસક  પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા તથા શહેર પોલીસ ઇન્સ્પેકટર રામાનુજ તથા એલસીબી પોલીસ ઇન્સ્પેકટર રાણાની હાજરીમાં પ્રાયમરી મીટીંગ બોલાવી વિચાર વિમર્સ કર્યા બાદ  વેપારીઓના પ્રમુખશ્રી અને અગ્રણીઓની મીટીંગમાં સર્વાનુમતતે નિર્ણય કરવામાં આવ્યો કે ગોંડલની મુખ્ય તમામ બજારો ત્રણ મે સુધી લોકહિતમાં બંધ રાખવી સોસાયટી વિસ્તારની દુકાનોને છૂટછાટ... આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનોનો સમય આઠથી દસ હતો તેમાં ૮ થી ૧ર એટલે કે બે કલાક વધારો કરવામાં આવ્યો.  (તસ્વીર : ભાવેશ ભોજાણી)

(12:08 pm IST)