Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

જેતપુરના નવાગઢમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાના સુત્રને સાર્થક કરતું શિવવંશી રાવળદેવ વિકાસ ટ્રસ્ટ

જેતપુર તા.૨૭ : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોના વાઇરસની સંક્રમણની સંભાવનાને લીધે બિનજરૂરી બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંધ મૂકી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.

કે જી વણજારા પુર્વ અધિક સચિવ ગુજરાત સરકાર છેવાળાના ગરીબોની સતત ચિંતા કરી લોકડાઉનનું ચુસ્ત પાલન કરી કોઇ ભુખ્યુ ન રહે તેવી દેવરાજભાઇ લુહાર આણંદને વાત કરી એસડીએમ રાજેશ આલનો સંપર્ક કરાવી તથા વેલજીભાઇ સરવૈયા ડીરેકટર ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા રાજકોટ નવાગઢ ખોડીયાર ધાર ખાતે શિવવંશી રાવળદેવ વિકાસ ટ્રસ્ટ પ્રમુખ તથા તાલુકા રાવળદેવ સમાજ પ્રમુખ ભરતભાઇ ચણાભાઇ ચૌહાણ દ્વારા વિચરતી વિમુકત જાતીના ગરીબ તેમજ જરૂરિયાતમંદ કુટુંબોને ડોર ટુ ડોર જઇ ભોજન અને રાશનકિટ પહોચાડી સુંદર કામગીરી કરવામાં આવી રહી છે.

આ ભગીરથ કાર્યમાં દેવરાજભાઇ લુહાર એસડીએમ આદરણીય રાજેશ આલ જીલ્લા વહીવટીતંત્રનો સાથ સહકાર મળી રહ્યો છે.

(12:02 pm IST)