Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

જામજોધપુર તાલુકા કોંગ્રેસ દ્વારા અર્બન ગોસ્વામી સામે ફરિયાદ

શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પોલીસ સ્ટેશને પાઠવાયું

જામજોધપુર તા. ર૭: જામજોધપુર તાલુકા કોંગ્રેસ દ્વારા અર્બન ગોસ્વામી દ્વારા મીડીયા દ્વારા કોરોના વાઇરસમાં હિન્દુ મુસ્લિમ ધર્મ વિરૂધ્ધ બેફામ વાણી વિલાસ કરતા તેમના વિરૂધ્ધ એફ.આર.આઇ. દાખલ કરવામાં આવતા સોનીયા ગાંધી ઉપર ખોટા આરોપો લગાવી વાણી વિલાસ કરેલ છે જેમની વિરૂદ્ધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષ સુરેજા તેમજ એડવોકેટ એ. કે. બગડા દ્વારા જામજોધપુર પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપેલ જે આવેદન પત્ર પોલીસ સ્ટેશનના પી.એસઓ. શેખ દ્વારા સ્વીકારેલ હતું.

(11:58 am IST)