Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

પ્રેમલગ્ન કરનાર યુવિતનો ગળાફાંસો ખાઇ આપઘાત

મૃતક યુવતિના પિતાએ મરવા મજબુર કર્યાની ફરિયાદ યુવતિના પતિ સામે નોંધાવી

કેશોદ,તા.૨૭:કેશોદની એક યુવતીએ ગત તા ૧૭. એપ્રિલે ગળાફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો આ બનાવમાં મૃતકના પિતાએ યુવતીના પતિ સામે પુત્રી પર શંકા કરી તેને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.

મળેલ વિગતો મુજબ ગત તા ૧૭. એપ્રિલે ભાવિકા બેન ઉર્ફે પૂજાબેન મોહનભાઈ બલાસ નામની યુવતીને બેભાન હાલતમાં દવાખાને ખસેડાઇ હતી. જયાં તબીબે તેને મૃત જાહેર કરી હતી તેના મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડાયો હતો. જેમાં તેનું મોત ગળેફાંસો ખાતા થયાનું પ્રાથમિક રીતે જણાયું હતું. દરમ્યાન મૃતકના પિતા મોહનભાઈએ કેશોદ તાલુકાના ખીરસરાના હિરેન ભાણજી ભાઇ માલમ સામે પોતાની પુત્રીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે કે ભાવિકા તા ૧૭. એપ્રિલે સવારે પોતાના પરિવાર સાથે વાડીએ જ હતી અને ૭.૩૦. વાગ્યે ગ્રામ સેવકની નોકરીએ જવા નીકળી હતી. બાદમાં બપોરે દોઢેક વાગ્યે હિરેન મલમનો પોતાના પુત્ર ના મોબાઈલ પર ફોન આવ્યો કે તેને કેશોદની ખાનગી હોસ્પિટલ મા દાખલ કરી છે તેઓ ત્યાં જતા હિરેન કહયું ભાવિકાઙ્ગ તમારા વાસાવાડી વાળા મકાનેથી બેભાન હાલતમાં મળી આવી છે બાદમાં ત્યાંથી જતો રહ્યો હતો હિરેને ભાવિકા સાથે ગત તા.૧૬. માર્ચે ધોરાજી તાલુકાના કલાણા ગામે પ્રેમલગ્ન કર્યા નુ પ્રમાણપત્ર પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું ત્યારે મોહનભાઈ એ પુત્રીના પ્રેમલગ્ન નો પણ ખ્યાલ આવ્યો હતો.આ બનાવમાં અનેક રહસ્ય સર્જાયા છે મોહનભાઈ એ હિરેન સામે આક્ષેપ કર્યો છે કે હિરેન પોતાની પુત્રી પર ચારિત્રની શંકા કરી માનસિક ત્રાસ આપતો હોવાથી જ તેણે ગળેફાંસો ખાધો હતો. આ બનાવની તપાસ કેશોદ પોલીસ ચલાવી રહી છે.

(11:52 am IST)