Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ધોરાજીના ખેડૂતનું અકસ્માત બાદ સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ

ખેતી કામ કરતા પરિવારની બે પુત્રી-પત્નિ નોંધારા બન્યા

ધોરાજી, તા.૨૭: ધોરાજીના ખેડુત ભગવાનજીભાઇ જીવાભાઇ અંટાળા (ઉ.વ.૬૫) રહે ખરાવાડ પ્લોટ ધોરાજીવાળા પોતાની વાડીએ જવા માટે વહેલી સવારે ઘેરથી નીકળેલ હતા અને ધોરાજીના જામકંડોરણા રોડ પર પૂલ પાસે ડમ્પરે ભગવાનજીભાઇને હડફેટે લેતા તેઓને ૧૦૨ના પાયલોટ ભાવેશ રાઠોડ અને ENT પરેશ ભીડે દ્વારા ધોરાજીની સરકારી દવાખાનાએ સારવારમાં લાવેલ.

હોસ્પિટલ ખાતે ફરજ પરના ડો.રાજ બેરાએ સારવાર આપી વધુ સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટ રીફર કરેલ. જેમાં સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

મરણ જનાર ખેડુતને સંતાનમાં ૨ પુત્રીઓ છે અને પોતે ખેતી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવતા હતા અને તે પુત્રીઓએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:46 am IST)