Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સુરેન્દ્રનગરમાં પાઇપલાઇન લીક થતા પાણીનો વેડફાટ

 વઢવાણઃ ભર ઉનાળે જયારે પાણીની ખૂબજ જરૂરિયાત છે ત્યારે પાલિકાની બેદરકારીના કારણે સુરેન્દ્રનગરના વિઠ્ઠલપ્રેસ રોડ ઉપર આવેલી મેઇન પાણીની લાઇન લીક થઇ હતી. આમ સુરેન્દ્રનગરમાં ૮દિવસે પાણી અપાય છે. અને બીજી બાજુ પાણીનો વેડફાટ કરાય છે ત્યારે લોકોમાં નગરપાકિલા સામે વેપારીઓની દુકાન પાસે પાણી ભરાયા હતા. રસ્તા પર પસાર થતા લોકોને હાલાકી પડી હતી. ર૦ જેટલા વાહનો ખુચ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)(૬.૧૨)

(12:48 pm IST)