Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જામજોધપુર કોંગ્રેસ દ્વારા ખેડુતોના વિવિધ પ્રશ્ને આવેદનપત્રઃ પાક વિમો સમયસર ચૂકવો

જામજોધપુર તા. ર૭: જામજોધપુર કોંગ્રેસ દ્વારા ખેડુતોના વિવિધ પ્રશ્નો જેવા કે ખેતી માટે પુરતી સુવિધા આપવી જરૂરી ખાતર પરના વેરા નાબુદ કરવા ખેડુતોના દેવા માફ કરવા ખેત પેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા ઉભી કરવા પાક વિમા સમયસર ચુકવવા ખેડુતોને વ્યાજબી ભાવે બિયારણ ખાતર અને જંતુનાશક દવા મળે તેવી વ્યવસ્થા ખેડુતો પર અત્યાચાર રોકવા વગેરે બાબતે અને ગુજરાત સરકારની આ ખેડુત વિરોધી નીતીને લઇને જામજોધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય ચિરાગભાઇ કાલરિયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ઇશ્વરભાઇ પનારા (પટેલ) જીલ્લા સરકારી અગ્રણી પ્રહલાદસિંહ જાડેજા, બલાભાઇ રાડી (અગ્રણી  તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમણિકભાઇ અભંગી જીલ્લા કોંગ્રેસના પુર્વ જીલ્લા યુથ પ્રમુખ દિગુભા જાડેજા, શહેર તેમજ તાલુકાના કોંગ્રેસના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(11:52 am IST)