Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

સર્વે ભાવિકો તહેવારમાં પદયાત્રા ન કરેઃ વેબસાઇટ પર દર્શન કરવા રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી દ્વારા માં આશાપુરા માતાનામઢ કચ્છના ભાવિકજનોને હાર્દિક વિનંતી

રાજકોટ તા.ર૭ : માં આશાપુરા માતાના મઢ કચ્છના અધ્યક્ષશ્રી રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજીની અખબાર યાદી જણાવે છે કે, તહેવારના દિવસોને લઇ ભાવિકજનો માતાના મઢ વેબસાઇટ ઉપર દર્શન કરવા વિનંતી તેમજ હાલમાં કોરોનાની મહામારી હોય શકય હોય તો વેબસાઇટનો ઉપયોગ કરવા વિનંતી તથા સરકારશ્રીના નિયમોનું ચુસ્ત પાલન કરવા અને માસ્કનો ઉપયોગ ખાસ કરવા વિનંતી તેમજ પદાયાત્રીઓને પદયાત્રા ન કરવા વિનંતી તેમજ હિન્દુ સંસ્કૃતિને ધ્યાને લઇ ટુંકા વસ્ત્રો ન પહેરવા, ધાર્મિકતાનો પુરો સંયમ રાખી હિન્દુ ધર્મના પાલનનું ચુસ્ત અમલ કરવા સોશ્યલ ડીસ્ટસ અનેમાસ્ક પહેરવાનો અમલ કરવા વિનંતી. માતાના મઢના ટ્રસ્ટીઓ તેમજ સેવકગણને સંપુર્ણ સાથ સહકાર આપવા વિનંતી તહેવારોમાં શકય હોય તો માતાજીનું નામ સ્મરણ ઘરે રહી કરવા તેમજ સરકારશ્રીના નિયમો તેમજ મંદિરના આદેશનો અમલ કરવા વિનંતી કરાઇ છે તેમ માઇભકત  વિનોદભાઇ પોપટ (રાજકોટ)ની યાદીમાં જણાવયું છે.

(1:12 pm IST)