Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

આટકોટના આરચીયા રસીકરણ કેમ્પ

આટકોટ : ખારચીયા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ રાખેલ હતો. જેમાં જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધી   પરેશભાઈ રાદડીયા, ખારચીયાના સરપંચ  પ્રેમજીભાઈ ધામેલીયા, તલાટી-કમ-મંત્રી કિરીટભાઈ પરમાર, સામાન્ય ન્યાય સમિતિ ના ચેરમેન હસમુખભાઈ જાદવ, પ્રાથમિક શાળાના આચાર્ય જેન્તીભાઇ ભુવા અને તેમજ ખારચીયા પેટા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને ગામનાં આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ગામના ૪૫ વર્ષથી ઉપરના ઉંમરના ૧૮૦ જેટલા  વ્યકિતઓ કોરોના વેકિસન લીધી.

(11:49 am IST)