Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

જંગલખાતા દ્વારા સતત કનડગતના કારણે કનકાઇ મંદિરે આમરણાંત ઉપવાસના મંડાણ

વિસાવદર, તા. ર૭ : ગીરની મધ્યમાં આવેલ કનકાઇ મંદિરે જતા દર્શનાર્થીઓને જંગલ ખાતા દ્વારા સતત કનડગત કરાતા આમરણાંત ઉપવાસ આંદોલનનો પ્રારંભ થયો છે.

કનકાઇ માતાજીના મંદિરે જતા દર્શનાર્થીઓને જંગલ ખાતા દ્વારા સતત કનડગત કરાતા કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના હરિભાઇ જાની, રમેશભાઇ પાનેરા, દેવાંગભાઇ ઓઝા, ઉદયકુમાર મહેતા, વિમલકુમાર મીઠાણીએ આજથી ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસનો પ્રારંભ કરેલ છે.

(4:04 pm IST)