Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

જામજોધપુર સ્વામિનારાયણ મંદિરે ગુરૂવારે ચતુર્થ પાટોત્સવ ઉજવાશે

જામજોધપુર તા.૨૭ : જામજોધપુર સ્વામિનારાયણ મંદિર શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી ગુણાતીતાનંદજી સ્વામીની પરંપરાના સમર્થ સંત પુરાણી સ્વામી ગોપીનાથદાસજીની પરંપરાના કોઠારી સ્વામી કેશવપ્રિયદાસજીના શિષ્ય કવિ સ્વામી હરિકૃષ્ણદાસજીના શિષ્ય અક્ષરધામસ્થ પ.પુ.ગુરૂદેવ સદગુરૂ શાસ્ત્રી સ્વામીશ્રી ભગવતચરણદાસજીસ્વામીના આશીર્વાદથી તેમજ શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી અને કોઠારી સ્વામી જગતપ્રસાદદાસજીની ઉપસ્થિતિમાં મહાસુદ પ વસંતપંચમી, શિક્ષાપત્રી જયંતી તા.૩૦-૧-૨૦૨૦ને ગુરૂવારે નિજમંદિરમાં બિરાજતા દેવોના ચતુર્થ વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ પ્રસંગે સંતો કથામૃતનો અલભ્ય લાભ આપશે. ઉપરોકત પ્રસંગે સવારે ૭ કલાકે આરતી, ઘનશ્યામ મહારાજનું પૂજન અભિષેક, કિર્તન ભકિત, સંતોના આશિર્વાદ,  અન્નકૂટ દર્શન શાકોત્સવ પ્રસાદ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો અને હરિભકતો પધારશે.

(12:02 pm IST)