Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

ગોંડલમાં વનીતાબેન મારડીયાને પાડોશીઓએ લાકડીથી માર માર્યો

ઘરની ડેલી પાસે ગંદુ પોદરાવાળું પાણી કેમ ઉડાડે છે? તેમ કહી

રાજકોટ, તા., ર૭: ગોંડલના ભોજરાજપરામાં ઘરની ડેલી પાસે ગંદુ-પોદરાવાળુ પાણી કેમ ઉડાડે છે? તેમ કહી મહિલાને ૩ પડોશીઓએ માર મારતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ભોજરાજ પરા શેરી નં. ૭ પાસે રહેતા વનીતાબેન જેન્તીલાલ મારડીયા પોતાના ઘર પાસે પડેલ પોદરો પાણીથી સાફ કરતા'તા ત્યારે બાજુમાં રહેતા પડોશી મિતલબેન સુરેશભાઇ ત્રિવેદી, અમીન સુરેશભાઇ ત્રિવેદી તથા નિર્મલાબેન સુરેશભાઇ ત્રિવેદીએ લાકડી સાથે ધસી આવી અમારા ઘરની ડેલી પાસે ગંદુ-પોદરાવાળુ પાણી કેમ ઉડાડે છે? તેમ કહી માર માર્યો હતો. આ અંગે ઉકત ત્રણેય સામે  સીટી પોલીસમાં ફરીયાદ થતા હેડ કોન્સ્ટેબલ  રાજદીપસિંહ ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)