Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

તાલાળા, ગીર સોમનાથ સહિતના આજુબાજુના વિસ્તારમાં ૨.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : તાલાળાથી ૯ કિ.મી. દુર ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયું એપી સેન્ટર : લોકોમાં ફેલાયો ગભરાટ

રાજકોટ, તા. ર૬ : આજે બપોરે ગીર સોમનાથ જીલ્લાના તાલાલામાં ર.૧ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે આજે શુક્રવારે બપોરે ૧ર.૦૧ વાગ્યે તાલાલાથી ૯ કિ.મી. દૂર દક્ષિણ દિશા તરફ કેન્દ્રબિંદુ ધરાવતા ભૂકંપનો ર.૧ ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

જયારે આજે સવારે ૮.૧૧ વાગ્યે સુરેન્દ્રનગરમાં ઉત્તર દિશા તરફ ૩૩ કિ.મી. દૂર કેન્દ્ર બિન્દુ ધરાવતા ૧.૧ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

(11:17 am IST)