Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

મોરબીમાં તુલસી દિનની ઉજવણી

મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે પાંચમાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોરોના મહામારીને ધ્યાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓને જુથમાં વહેંચી વારાફરતી કાર્યક્રમમાં સામેલ કરાયા હતા સવારથી બપોર સુધી તુલસીનું પ્રદર્શન યોજાયું હતું જેમાં તુલસીના ઔષધીય ગુણો, તુલસીનું હિંદુ સંસ્કૃતિમાં મહત્વ સમજાવ્યું હતું તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને તુલસીના રોપા વિતરણ કરાયા હતા તુલસી દિવસનું મહત્વ સમજાવતા શાળા સંચાલક કિશોર શુકલએ જણાવ્યું હતું કે તુલસીનું મહત્વ ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણમાં પણ છે અને તે મહત્વ સમજાવવા જ પાંચ વર્ષથી સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરાય છે અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપરાંત નગરજનો પણ તુલસી દિવસની ઉજવણીમાં અનેરો ઉત્સાહ દાખવી સામેલ થતા હોય છે.

(11:27 am IST)