Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

કરણીસેના સુરેન્દ્રનગર દ્વારા ટુર્નામેન્ટ

વઢવાણ :  ઝાલાવાડ ક્ષત્રીય સમાજ અને કરણીસેના સુરેન્દ્રનગર દ્વારા ૮ વર્ષીક ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સોરાષ્ટ, કરછ, ભાવનગર, જામનગર, રાજકોટ સહિત રાજયભરની ૩૨ ટીમોએ ભાગ લીધો છે જેમાં આ ક્રિકેટ ટૂર્નામેન્ટ મેચ રાજયભરના ક્ષત્રિય સમાજના યુવાનો આ ક્રિકેટ ટૂર્નામેન્ટમેચમા ભાગ લેશે.જેમા સમાજ એકતા ,યુવાનો રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તેમજ સમાજ એકતા જળવાઈ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ તારીખ ૨૦ ડીસેમ્બર થી શરુ થઈને ૨૭ ડીસેમ્બર સુધી ચાલશે, જેમાં ૨૭ તારીખના રોજ સેમી ફાઈનલમ ,ફાઈનલ યોજશે.તેમજ આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણીસેના અને યુવાનો દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી છે તેમજ સમાજ આગેવાનો દ્વારા વિજેતા ટીમને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.તેમજ દરરોજ મોટી સંખ્યામાં લોકો મેચ નિહાળવા ઉમટી રહ્યા છે.

(11:10 am IST)