Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ભાવનગરમાં વધુ ૨૩ કોરોના કેસ

ભાવનગર,તા. ૨૬:  જિલ્લામા વધુ ૨૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૭૫૪ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૧૩ પુરૂષ અને ૬ સ્ત્રી મળી કુલ ૧૯ કેસ નોંધાયા છે. જયારે તાલુકાઓમા તળાજા તાલુકાના ઊંચડી ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૧, સિહોર તાલુકાના અગિયાળી ગામ ખાતે ૧ તથા સિહોર ખાતે ૧ કેસ મળી ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકાના ૧૬ તેમજ તાલુકાઓના ૩ એમ કુલ ૧૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૭૫૪ કેસ પૈકી હાલ ૭૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૬૦૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(10:29 am IST)