Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં ૧૭પ બાળકો વચ્ચે માત્ર બે જ શિક્ષકોઃ ગ્રામજનો દ્વારા શિક્ષકો ન આવે ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવા નિર્ણય

લાલપુર, તા., ૨૬: લાલપુર તાલુકાના  નાંદુરી ગામમાં ૧૭પ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે જ શિક્ષકો હોવાથી ગ્રામજનોએ આક્રોશ વ્યકત કરીને શનીવારે શાળાને તાળાબંધી કરી હતી. ત્યાર બાદ ગ્રામજનોનો રોષ આજે પણ યથાવત છે અને જયાં સુધી પુરતા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં  સુધી એક પણ બાળકને શાળામાં ન મોકલવા નિર્ણય કર્યો છે.

ગ્રામજનોએ શાળાના પટાંગણમાં બેસીને વિરોધ વ્યકત કર્યો હતો અને તાત્કાલીક શિક્ષકોની ભરતી કરવા માંગ થઇ છે.

(3:53 pm IST)